Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નરેશભાઇ પટેલ ઉમિયાધામના આગેવાનોને મળી રાજકોટ આવવા રવાનાઃ એકાદ-બે દિવસમાં સરકાર સાથે મંત્રણા કરશે

હાર્દિક પટેલ સાથે મંત્રણા અને પારણા છોડાવવામાં સળળતા ન મળ્યા પછી ખોડલધામના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ રાજકોટ આવવા નીકળી ગયા છેઃ તેમની સાથે શ્રી દિનેશ ચોવટીયા સહિતના પાટીદાર આગેવાનો પણ રાજકોટ આવવા નીકળ્યા છે આ પહેલા નરેશભાઇ ઉમિયાધામના આગેવાનોને પણ મળ્યા હતા

નરેશભાઇએ એવું કહ્યું હતું કે, અમે આવતીકાલે અથવા પરમદિવસે તમામ વડીલો સાથે વાતચીત કર્યા પછી જો સૌની સંમતિ હશે તો અમે બધા સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશું

દરમિયાન સોલા હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલા હાર્દિક પટેલન તમામ સારવારો ચાલુ થઇ ગયાનું અને ગ્લુકોઝના બાટલા ચડાવાઇ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે

દરમિયાન હાર્દિક પટેલે એવું પણ કહ્યુ હતું કે તબિયત સુધર્યા પછી તેઓ ફરી પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રાખશેઃ આ અંગે સત્તાવાર સમર્થન મેળવવા પાસના આગેવાનો સાથે વાતચીત કરવાના પ્રયાસો ચાલુ છેઃ જો કે મોટાભાગના પાસ આગેવાનોના મોબાઇલ બંધ આવે છે

(4:15 pm IST)