Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ઉત્તર પ્રદેશમાં ત્રણ રાજકીય નેતાઓને જાહેરમાં ફુંકી માર્યા!

લોકોમાં ભારે નાસભાગઃ ધાણીફુટ ગોળીઓ છુટી

શાહજહાંપુર (ઉ.પ્ર.) તા.૭: શાહજહાંપુર નગરપાલિકાના માજી ચેરમેન તનવીરખાનના સાળા મુશીરખાન સહિત ૩ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. જિલ્લાના બીજા સ્થળોએથી પણ પોલીસ અહીંયા તહેનાત કરાયું હતું. જિલ્લાના એસપી સહિતના બધા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જિલ્લાના સદર બજાર પોલીસ સ્ટેશન હેઠળની આવાસ  વિકાસ કોલોનીમાં બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં મુશીરખાન સહિત ૩ લોકો માર્યા ગયા હતા. જયારે હોસ્પિટલમાં દાખલ કરાયેલ માંથી ૧ની હાલત ગંભીર છે. જુની અદાવતના કારણે ગોળીઓના ઘણા રાઉન્ડ છેડાયા હતા આ આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નખાયો છે.

(12:03 pm IST)