Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

બીજેપી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું

અમદાવાદ : પોતાને સ્વંયભૂ ભગવાન જાહેર કરના નિત્યાનંદે યુએનને ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે બીજેપી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેણે નિત્યાનંદે બીજેપી અને સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન બતાવ્યું છે. આ પત્રમાં નિત્યાનંદના એમ પણ દાવો કર્યો કે, તેમના સમર્થકોએ ભારતમાં તકલીફ સહી છે.

   સ્વંયભૂ ધર્મગુરુ નિત્યાનંદ સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર મોકલીને ભારતમાં આરએસએસ અને ભાજપાના વિઘટનકારી હિન્દુત્વ ચરમપંથીઓને બોલાવ્યા છે. તેઓએ એમ પણ દાવો કર્યો છે કે, તેમના ગ્રૂપને ભારતમાં સતાવવામાં આવ્યા છે

   આ પત્ર ઈક્વાડોર ટાપુ પર એક આઈલેન્ડ ખરીદવાથી તેને હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું છે. જેને નિત્યાનંદ દ્વારા કૈલાસા નામ આપવામાં આવ્યું છે. સ્વંયૂભૂ ધર્મગુરુ બની ગયેલા નિત્યાનંદની કાયદાકીય ટીમે ભારતમાં તેમના જીવન પર ખતરો છે. કેમ કે, તેમનો હેતુ હિન્દુ ધર્મનો અભ્યાસ અને પ્રચાર કરવાનો છે

  વિવિધ ગુનાઓ આચરીને ભારતમાંથી ભાગી ચૂકેલા નિત્યાનંદે હવે યુએનનો દરવાજો ખખટાવ્યો છે. નિત્યાનંદે અનેક રાજકીય પક્ષો, ધાર્મિક અને સામાજિક સંગઠનો, ભાષાકીય જૂથો, પોલીસ દળ અને ભારતીય અદાલતોને પણ અરજીમાં બદનામ કર્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ 46 પેજની પિટિશનમાં દેશની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને કાનૂની વ્યવહાર સામે નફરત વધારવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  નિત્યાનંદ હવે પોતાનો અલગ દેશ બનાવવા જઈ રહ્યો છે. નિત્યાનંદના આ દેશનું નામ કૈલાસા હશે. દક્ષિણ અમેરિકાના ઈક્વાડોરમાં એક ખાનગી ટાપુ પર આ દેશ વસાવવામાં આવશે. આ ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોની નજીક સ્થિત છે. નિત્યાનંદ દ્વારા તેને અલગ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે અમેરિકાની એક પ્રખ્યાત કાયદાકીય સલાહકાર કંપનીની મદદથઈ સંયુક્ત રાષ્ટ્રમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે પોતાના દેશને માન્યતા આપવાની પણ અપીલ કરી છે.

(1:17 pm IST)