Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદ્રાબાદ ગેંગરેપ કેસ

ચારેય હેવાનો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

ક્રાઇમ સીન રિક્રીએટ કરવા પોલીસ ઘટના સ્થળે લઇ ગઇ ત્યારે ભાગવાનો પ્રયાસ કરતી વેળાએ ચારેય પોલીસની ગોળીઓનો શિકાર બન્યાઃ દેશભરમાં હતો આક્રોશઃ ઉઠી રહી હતી ચારેયને ફાંસીની માંગણી

હૈદરાબાદ,તા.૬:હૈદ્રાબાદના શાદનગરમાં જાનવરોના ડોકટર ઉપર રેપ અને તેમની નિર્મમ હત્યાના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે સવારે કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. 

રેપ કેસના આરોપીઓ ભાગવા જતા હતા ત્યારે પોલીસે તેમને ઠાર કર્યા છે. આ દ્યટના નેશનલ હાઈવે ૪૪ પર બની છે. પોલીસ રિકંસ્ટ્રકશન માટે તેમને દ્યટનાસ્થળ પર લઈ ગઈ હતી, ત્યારે ચારે આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે આ લોકોને રોકવાની કોશિશ કરી પરંતુ તેઓ અટકયા નહીં અને તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું.

જણાવી દઈએ કે હૈદરાબાદ શાદનગરમાં પ્રાણીઓની ડોકટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસ ચારે આરોપીઓ શિવા, નવીન, કેશવુલૂ અને મોહમ્મદ આરિફને પોલીસ રિમાન્ડમાં રાખ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓને કેસના રિક્રિએશન માટે દ્યટના સ્થળ પર ફ્લાયઓવર નીચે લઈ ગઈ હતી, જયાં પીડિતાને સળગાવવામાં આવી હતી. ત્યાં ક્રાઈમ સીનને રીક્રિએટ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ચારેએ ભાગવાની કોશિશ કરી.

આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને પોલીસે તેમના પર ગોળી ચલાવી જેમાં ચારે આરોપીઓ ઠાર થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ કમિશનરે આ દ્યટનાની પુષ્ટી કરી છે. જણાવી દઈએ કે આ દ્ય્રુણાસ્પદ કૃત્યના કારણે આખા દેશમાં લોકોમાં આરોપીઓને કડકમાં કડક અને જલદી સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી.

જણાવી દઈએ કે ૨૭મી નવેમ્બરની રાત્રે ૨૭ વર્ષની જાનવરોની ડોકટરને રાક્ષસોએ પીંખી નાખી હતી અને પછી તેની લાશને સળગાવી દીધી હતી. દારુ પીતા આરોપીઓએ ડોકટરને સ્કૂટી પાર્ક કરતા જોઈ હતી અને પછી તેમણે હચમચાવી નાખનારો પ્લાન દ્યડ્યો હતો. આરોપીઓએ સ્કૂટીમાંથી હવા કાઢીને મદદના બહાને ડોકટર પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેની હત્યા કરીને લાશને બ્રિજ નીચે સળગાવી દીધી હતી. બીજી દિવસે સવારે દૂધ વેચનારાએ સળગેલું શબ જોઈને પોલીસને જાણ કરી તે પછી આખી દ્યટના સામે આવી હતી.(૨૨.૮)

 

(10:52 am IST)