Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જમ્મુ - કાશ્મીર : ઔરંગઝેબ બાદ આતંકવાદીઓએ કોન્સ્ટેબલ જાવેદનું અપહરણ બાદ કરી હત્યા

શ્રીનગર તા. ૬ : ગુરૂવારના રોજ આતંકવાદીઓએ દ્વારા અપહરણ કરાયેલા પોલીસ જવાનનો મૃતદેહ કુલગામ પાસે મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોપિયા જિલ્લામાં વેહિલ વિસ્તારમાં કચદૂરા ગામમાં ગુરૂવારે સાંજે સેન્ટ્રો કારમાં આતંકીઓ આવ્યા હતા. આતંકીઓએ ઘરની બહારથી કોન્સ્ટેબલ જાવેદ અહમદ ડારનું અપહરણ કર્યું હતું.

અપહરણ કરાયેલ કોન્સ્ટેબલ જાવેદ અહમદ દવા લેવા માટે દુકાને જઇ રહ્યા હતા. ત્યારે જ કારમાં જબરજસ્તી બેસાડયા બાદ આતંકીઓએ સ્થાનિક લોકોને ધમકાવી ફરાર થઇ ગયાહતા. આતંકવાદીઓની સંખ્યા ત્રણ-ચાર બતાવવામાં આવી રહી છે.

જાવેદ પૂર્વ એસએસપી શૈલેન્દ્ર મિશ્રાની સાથે હતા. જાવેદના અપહરણ બાદ તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ આ વિસ્તારને ઘેરી લઇ સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પોલીસ જવાન જાવેદનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસની શાંતિ બાદ આતંકવાદીઓએ ફરી અશાંતિ શરૂ કરી હોવાનું જોવા મળી રહ્યું છે. આ અગાઉ આતંકીઓએ ઔરંગઝેબનુ અપહરણ કરી તેની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજયપાલમાં શાસનમાં સેનાએ આતંકીઓ વિરૂધ્ધની કાર્યવાહી કડક કરી દીધી છે જેને લઇને આતંકવાદીઓ ભયભીત થઇ ગયા છે. સેનાએ આતંકવાદીઓ વિરુધ્ધ ઓપરેશન ઓલઆઉટ તેજ કરી દીધું છે.(૨૧.૮)

(11:41 am IST)