Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની આજ 28 ફેબ્રુ ના રોજ પુણ્યતિથિ

ન્યુદિલ્હી : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની આજ 28 ફેબ્રુ ના રોજ પુણ્યતિથિ છે.26 જાન્યુઆરી 1950 ના રોજ તેમણે દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લીધા હતા.તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ 1950 થી 1962 ની સાલ સુધીનો હતો.

તેમનો જન્મ 3 ડિસેમ્બર 1884 ના રોજ બંગાળમાં થયો હતો.ભારતની આઝાદીના સંગ્રામમાં તેમનું ખુબ મહત્વનું યોગદાન હતું 28 ફેબ્રુ 1963 ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા

(8:16 pm IST)