Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

યમનમાં હોતી વિદ્રોહીઓએ હુમલો કર્યો: 9ના મોત: 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: યમનમાં હોતી વિદ્રોહીઓએ લાલ સાગરના બંદરગાહ શહેર હોદેઈદાહના રીહાયસિ વિસ્તારમાં શુક્રવારના રોજ હુમલો કરતા ઓછામાં ઓછા 9 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

         એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હોતી વિદ્રોહીઓએ તુહયાતા જિલ્લામાં રીહાયસિ વિસ્તારમાં અંધાધુંધ હુમલો કર્યો હતો જેના કારણોસર નવ નાગરિકો મોતને ભેટ્યા છે. આ ગોળીબારીમાં 10 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:29 pm IST)