Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

તાલિબાનની કેદમાંથી મુક્ત થશે 3 ભારતીય એંજીનીયર: 17 મહિના પછી વતનમાં પરત ફરશે

નવી દિલ્હી: લગભગ 17 મહિનાથી તાલિબાન આતંકવાદીઓની કેદમાં ભારતના ત્રણ એજિનિયર હતા જે મંગળવારના રોજ મુક્ત થઇ રહ્યા છે આ એંજીનીયર વર્ષ 2018થી તાલિબાનની કેદમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા પછી તાલિબાને તેમને છોડવા માટે રાજી થયા હતા અને આ બેઠક અમેરિકી પ્રતિનિધિ જાલમેં ખલીલબાદ સાથે થઇ  હતી તાલિબાનની બેઠકમાં કેદીઓની અદલા-બદલી થઇ હતી.

             આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તાલિબાન નેતાઓની બદલે ત્રણ ભારતીય એંજિનીયરનો મુક્ત કરવામાં આવશે.અમેરિકા અને તાલિબાન વચ્ચે ઇસ્લામાબાદમાં થયેલ વાતચીત પછી ત્રણ ભારતીય એન્જીનીયરોને મુક્ત કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ત્રણે ભારતીય 17 મહિના પછી પોતાના મુલ્કમાં પરત ફરશે.

(6:26 pm IST)