Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મ્યાંમારમાં પૂરના કારણે 1લાખ 20 હજાર લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત

નવી દિલ્હી: દક્ષિણપૂર્વી મ્યાંમારમાં પૂરના કારણે વિશાળ ભૂચાલ મચી ગયો છે અને તેના કારણે લગભગ 1,20,000 લોકો ઘરવિહોણા થઇ ગયા છે અને 11 લોકો મોતને ભેટ્યા છે પૂરના કારણે બાળકોને ખંભા પર બેસાડીને સમાન લઈને ખાલી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 1,18,000થી વધુ લોકોને 285 જગ્યાએ રાખવામાં આવ્યા છે અને આ પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 11એ પહોંચી ગઈ છે.

(6:57 pm IST)