Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ૪પ૧પ બસ ખરીદવા મંજુરી

 ગાંધીનગર તા.ર૦ : રાજય સરકારે નવી એસ.ટી. બસો ખરીદવા નિગમની આપેલ મંજુરી અંગે પુનમભાઇ ગામીતના પ્રશ્નનાઉતરમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે તા.૩૧-૧ર-ર૦૧૮ની સ્થિતિએ  છેલ્લા વર્ષમાં કુલ ૪પ૧પ નવી એસ.ટી. બસો ખરીદવાની નિગમને મંજુરી આપવામાં આવી છે. આ મંજુરી આપ્યા બાદ નિગમ દ્વારા વર્ષ ર૦૧૭માં ર૬૬૯ બસો ખરીદવામાં આવી છે. જયારે વર્ષ ર૦૧૮માં ૧૮૬૦ની મંજુરી મળી હોવા છતા એક પણ એસ.ટી. ની નવી બસ ખરીદવામાં આવી નથી. (પ૧.૧૭)

 

(3:01 pm IST)