Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

માતર તાલુકાના વાલોત્રીના આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

માતર:તાલુકાના ચાનોર-ઈન્દુવર્ણ રોડ પરથી એક આધેડ પુરુષ મોટરસાયકલની બાજુમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના વાલોત્રીમાં રહેતા લ-મણભાઈ અમરસિંહ જાદવ ગઈકાલે મોટર સાયકલ લઈ ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન ગઈકાલે રાત્રે ચાનોર ઈન્દ્રવર્ણ રોડ પરથી મોટરસાયકલ મળી આવ્યું હતું. મોટરસાયકલની સાઈડ પર મૂકી લ-મણભાઈ જાદવ (ઉંમર - ૫૫ વર્ષ)એ કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આમ મોટરસાયકલ લઈ નીકળેલ લ-મણભાઈ જાદવ ચાનોર સીમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ આધેડ પુરુષે કયા કારણસર આપઘાત કર્યો તે જાણવા મળેલ નથી. આ બનાવ અંગે જાનુભાઈ જીવણભાઈ જાદવે જાણ કરતા લીંબાસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:25 pm IST)