Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પોઇચા નર્મદા નદીમાં ડૂબી ગયેલ સુરતનાં પુણા ગામનો યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળતા પરિવારનું કલ્પાંત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પોઇચા ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલો એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ ઘણી શોધખોળ બાદ આજે ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવતા રાજપીપળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર તારીખ 28.10.22 નાં રોજ સવારે 10.30 વાગે બનેલી ઘટનામાં ગુમ થનાર પવન કેશવભાઇ સોનગીરે (રહે. શ્રીનાથજી સોસાયટી મકાના નંબર ૨૨૭ પુણાગામ કારગીર ચોક સુરત શહેર) નાં ભાઈલીલાધર સોનગીરે પોલીસમાં જાણ કર્યા મુજબ  તેમનો ભાઈ માતા પિતા સાથે પોઈચા નીલકંઠધામ તથા કુભેર ભંડારી ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા તે વખતે પોઈચા ખાતે નર્મદા નદિમાં નાહવા માટે જતા ઊંડા પાણીમાં તણાઈ જઈ ડુબી ગયા બાદ ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંય ભાળ મળી નહિ હોય આજે બીજા દિવસે બપોરે લગભગ 3.15 કલાકે આ યુવાનનો મૃતદેહ પોઇચા ત્રિવેણી સંગમ નજીકથી મળી આવતા તેના પરિવારજનો કલ્પાંત કરતા જોવા મળ્યા હતા રાજપીપળા પોલીસે તેના મૃતદેહને પીએમ માં મોકલી તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)