Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાય તેવી શકયતાc

હાલ અલ્પેશ કથિરીયાની પાટીદાર યુવા નેતા તરીકેનો ઓળખ છે.

સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ બંને આગેવાનો ગારિયાધારમાં યોજાનાર AAPની સભામાં જોડાય તેવી શક્યતા છે. જેમાં અલ્પેશ કથિરીયાએ બેઠક બાદ નિર્ણય લીધો છે. હાલ અલ્પેશ કથિરીયાની પાટીદાર યુવા નેતા તરીકેનો ઓળખ છે.

જો કે આ પૂર્વે  પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા  ભાજપમાં  જોડાય તેવી અટકળો તેજ થઈ હતી. જેમાં સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ દરમ્યાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જો પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચે તો વિચારીશું. તેમજ આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ લાવે તો વિચારીશું. તેમજ સત્તા પક્ષ કે વિપક્ષમાંથી જે પણ ઉકેલ લાવશે તેની સાથે જઇશ.

(9:26 pm IST)