Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સાંજે અમદાવાદના થલતેજ વિસ્તારના તબીબના બંગલોમાં ધુસીને છરીની અણીએ લૂંટ : તપાસ શરૂ

એક સોનાની વીંટી તથા અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી ફરાર

 

અમદાવાદ :શહેરના પોષ વિસ્તાર ગણાતા એવો થલતેજ વિસ્તારમા સોમવિલા બંગલો આવેલો છે. જ્યાં આજે સમી સાંજે સોમવિલા બંગલોમાં એક શખ્સ ઘસી આવ્યો હતો. અને છરીની અણીએ મકાન માલિક જોડે લૂંટ ચલાવી હતી. લૂંટની રકમ હજી સુધી પોલીસ ચોપડે નોંધાઇ નથી. પરંતુ ફરિયાદીના જણાવ્યા અનુસાર એક સોનાની વીંટી તથા અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી છે.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટના સિલસિલા બનવા લાગ્યા છે. તાજેતરમાં થોડા દિવસો પહેલા વસ્ત્રાપુર સહિત સોલામાં કુલ 3 જેટલી લૂંટની ઘટના બનવા પામી છે. જેમાં હજુ સુધી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાઆ નિષ્ક્રિય સાબિત થઈ છે. ત્યારે થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગલોઝમાં તબીબના મકાનમાં થયેલી લૂંટની ઘટના અંગે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લોકડાઉન બાદ અનલોકમાં પડી ભાંગેલા નાના-મોટા વેપારીઓથી લઈને અન્ય કેટલાય વેપાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે ગુનો આચરનારા ગુનેગારોની દુનિયામાં પણ મંદીનો મહોલ વર્તાઈ રહ્યો છે. આથી લોકડાઉન બાદ ગુંનેગારીના ગ્રાફમાં ધીમેધીમે વધારો થતો જોવા મળે છે.

 

(11:01 pm IST)