Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર : નવા 1405 પોઝિટિવ કેસ : વધુ 12 લોકોના મોત : કુલ કેસનો આંક 1,34,623 થયો : વધુ 1336 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,14,476 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ કોર્પોરેશનમાં 180, સુરત કોર્પોરેશનમાં 176, સુરતમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 102, જામનગર કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 43, રાજકોટમાં 42, વડોદરામાં 39, કચ્છમાં 37, બનાસકાંઠામાં 35, અમદાવાદમાં 30, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલી અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26, ગાંધીનગર-જામનગર-પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા: રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1404 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,34,623 થઇ છે  આજે વધુ  1326 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3431 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

રાજ્યમાં 1402 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716   એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, વડોદરા કોર્પોરેશનમાં  મળી  કુલ 12  લોકોના મોત થયા હતા.

અમદાવાદ કોર્પોરેશનમાં 180, સુરત કોર્પોરેશનમાં 176, સુરતમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 102, જામનગર કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 43, રાજકોટમાં 42, વડોદરામાં 39, કચ્છમાં 37, બનાસકાંઠામાં 35, અમદાવાદમાં 30, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલી અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26, ગાંધીનગર-જામનગર-પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,98,673 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,166 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે

(8:08 pm IST)