Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાત્રે અમદાવાદના શાહપુરમાં બે કોમ વચ્ચે ભારે પથ્થરમારો : પોલીસ કાફલો પહોંચ્યો

ભરડીયાવાસમાં પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડ્યા : ટોળાને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ

અમદાવાદ :  શાહપુર વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે, આ ઘટનાને લઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી તમામ મામલાને શાંત કરાવ્યો હતો.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલ ભરડિયા વાસ પાસે બે કોમ વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના થઈ હતી. જેમાં ઘણા લોકોને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ટોળાને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.

(10:52 pm IST)