Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

શંકરસિંહ વાઘેલા દ્વારા નવ નિર્મિત પ્રજા શક્તિ મોરચાએ ખાંડા ખખડાવ્યા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રાજ્યભરમાં દેખાવો : આવેદન પત્ર પાઠવ્યું

આર્થિક મંદીમાં સપડાયેલ વેપાર ઉદ્યોગ અને કોરોનાની મહામારી વચ્ચે ઇંધણમાં ભાવ વધારાનો ડામ સામે અમદાવાદ, વડોદરા ,છોટાઉદેપુર સહિતના મથકોએ મોરચો માંડ્યો

અમદાવાદ : બહોત હો ગઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકારના સૂત્રો આપીને સત્તામાં આવેલ ભાજપ સરકાર દ્વારા છેલ્લા પખવાડિયાથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકાઈ રહ્યો છે ત્યારે ઇંધણના વધતા ભાવ સામે શંકરસિંહ વાઘેલા દ્વારા નવ નિર્મિત પ્રજાશક્તિ મોરચાએ ખાંડા ખખડાવ્યા છે અને રાજ્યના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન દેખાવો કરીને ઇંધણના ભાવ ઘટાડવા આવેદનપત્ર પાઠવી સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો છે

  આર્થિક મંદીમાં સપડાયેલ વેપાર ઉદ્યોગ સામે એક તરફ સરકાર કરોડોના આર્થિક પેકેજ જાહેર કરે છે ત્યારે બીજીતરફ કોરોનાના કપરાકાળમાં ઇંધણના ભાવમાં વધારો કરીને લોકો પર બોજ નાખી રહી છે જેની સામે શંકરસિંહ વાઘેલા દ્વારા નવ નિર્મિત પ્રજાશક્તિ ,મોરચાએ અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું

 

(6:46 pm IST)