Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

'૧૮૧ અભયમ' દ્વારા ૮૯ લાખ બહેનોને મદદ : ધો. ૯ થી ૧૨ની છાત્રાઓ માટે 'કવચ' કાર્યક્રમ

અંબાજીમાં શિબીર પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેનનુ ઉદબોધન

ગુજરાત મહિલા આયોગ દ્વારા અંબાજી ખાતે યોજાયેલ શિબીરમાં આયોગના વડા શ્રીમતી લીલાબેન અંકોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

ગાંધીનગર તા.૨૧: ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે શ્રી ચૌધરી ધર્મશાળામાં નારી અદાલતની ઉત્ત્।ર ઝોનકક્ષાની રીવ્યુ બેઠક અને તાલીમ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બહેનોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનવા નારી અદાલતો સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે આજે રાજયમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. આ નારી અદાલતની કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા રાજય સરકારશ્રી તરફથી સોસાયટી બનાવવાનો નિર્ણય કરાયો છે.ે ગુજરાત રાજયમાં નારી અદાલતોની સફળતાનું મોડેલ સમગ્ર દેશમાં અમલી બનશે. તેમણે જણાવ્યું કે, આપણા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર બહેનોની સુરક્ષા માટે સતત ચિંતિત છે. ે નારી અદાલતના માધ્યમથી મહિલાઓના ૧૯ હજાર જેટલાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને મહિલાઓને બંધારણીય અધિકારો તથા હક્કો અપાવી સમાધાન કરી સુરક્ષા પ્રદાન કરાવી છે.

આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, રાજય મહિલા આયોગના પ્રયત્નોથી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી રાજયમાં ૮૯ લાખ બહેનોએ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી છે.  ઉચ્ચ શિક્ષણ મેળવેલી બહેનોને મહિલાઓના સશકિતકરણના કામમાં આગળ આવવા આહવાન કર્યુ હતું. દિકરીઓની સાથે દિકરાઓને પણ મહિલા આયોગની કામગીરીથી વાકેફ કરવામાં આવે છે. અત્યાર સુધી રાજયની વિવિધ યુનિવર્સિટીઓના ૪૦ હજાર વિધાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હોવાનું ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓ માટે કવચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ગુડ ટચ અને બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે.

મહિલા આયોગના સભ્ય સચિવશ્રી વીણાબેન પટેલે મહિલાઓને કાયદાકીય જાગૃતિ શિબિરનો હેતુ  સમજાવ્યો હતો. નારી અદાલતના રાજય કો-ઓર્ડીનેટર શ્રીમતી સોનલબેન ગઢવીએબહેનોને નારી અદાલત વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સલાહ સુચનો કર્યા હતા. આ પ્રસંગે નારી અદાલત બનાસકાંઠાના કો-ઓર્ડીનેરટશ્રી આશાબેન ડગલી સહિત ઉત્ત્।ર ઝોનનો જિલ્લાઓના જિલ્લા અને તાલુકા કો-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:36 am IST)