Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમીરગઢના ચેખલા નજીક બે ટ્રક સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બે મોતને ભેટ્યા

અમીરગઢ: પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર હાઈવે પર ચેખલાના પાટીયા પાસે બે ટ્રકો ટકરાતા  બ  વ્યકિતના   મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયા  છે.
ચેખલાના પાટીયા પાસે એક ટ્રકમાં  ખરાબી સર્જાતાં રોડ પર સાઈડમાં ઉભી રાખી તેનો ચાલક તથા ક્લીનર ટ્રકમાં ચકાસણી કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવતી એક ટ્રકના ચાલકે  આગળ ઉભેલી ટ્રકને પાછળથી ટક્કર મારતાં   અકસ્માત સર્જાયો હતો.
જેમાં ટ્રકના ચાલક ગણેશભાઈ ગુજ્જર રહે.કેરીયા, તા.ટોડા, જિ.ટાંક રાજસ્થાનનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું. જ્યારે મહેશ  સુરગ્યાન પાયલા રહે.સુરાણા, જિ.જયપુર-રાજસ્થાનને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  પોલીસ દ્વારા ક્રેનની  મદદથી  ટ્રકોને છુટી પાડી મૃતક તથા ગંભીર ઘાયલોને બહાર કઢાયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

(5:27 pm IST)