Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ખેડૂતોને ધિરાણ ભરવાની મુદ્દત ૩૦ જુન સુધી લંબાવો : દિલીપ સંઘાણી

વડાપ્રધાન અને કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆતનો સાનુ કૂળ પ્રતિભાવ

રાજકોટ : નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેંકના ચેરમેન અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ વડાપ્રધાન શ્રી મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર પાઠવી દેશભરના ખેડૂતોને પોતે લીધેલ ધિરાણ પરત કરવાની મુદ્દત વર્તમાન પરિસ્થિતિના કારણે ૩૧ માર્ચના બદલે ૩૦ જુન સુધી લંબાવવા રજૂઆત કરી છે. ખેડૂતો ૩૧/૩ સુધીમાં ધિરાણ પુરૂ ન કરે તો સરકાર તરફથી મળતી ૭ ટકા વ્યાજ માફીનો (સબસીડી) લાભ મળી શકે નહિ. કેન્દ્ર સરકારે આ બાબતે હકારાત્મક વિચારવાનો પ્રતિભાવ આપ્યો છે.

(3:24 pm IST)