Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું દુકાનો ખુલી રહેશે : ખરીદી માટે લાઈનો ના લગાવો : સંગ્રહખોરી નહિ કરો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોને ખોટી દહેશતમાં ના રહેવા અપીલ કરી

 

અમદાવાદ : રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકોને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરેની દુકાનો ચાલુ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને ચીજ વસ્તુઓ મળતી રહેવાની છે

  કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી  માટે લાઈનો  ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરે

(12:40 am IST)