Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેકટ ૩૧ માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ :એડવાન્સ બુકીંગ કરાવનાર પ્રવાસીઓને રિફંડ અપાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજય સરકારના આદેશ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય દર્શનીય સ્થળો તા.૧૮ માર્ચથી તા.૨૫ માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાની સુચના મળેલ,જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદાર અને જીલ્લા કલેકટર,નર્મદા મનોજ કોઠારી દ્રારા ગત તા.૧૭ માર્ચનાં રોજ બંધ રાખવા સંબંધે જાહેરાત કરાઇ હતી. જે હવે આગામી તા.૨૬ થી તા.૩૧ માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો પણ બંધ રાખવાની જાહેરાત મુખ્ય વહીવટદાર કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની તરફથી કરવામાં આવી છે.
             જે પ્રવાસીઓએ એડવાન્સ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેવા દરેક પ્રવાસીઓને તાત્કાલીક રિફંડ આપી દેવાની કાર્યવાહી કરવામાં આવશે.તેમ છતા કોઇ પણ પ્રકારની સમસ્યા પડે તો ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩- ૬૬૦૦ પર સવારે ૮.૦૦ થી સાંજનાં ૬.૦૦ દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ સ્ટેચ્યુ વહીવટદાર કચેરી દ્વારા જાણવા મળ્યું છે.

(9:20 pm IST)