Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૩૦મીએ બુધવારે રજા જાહેર : ૯મી નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા રૂપાણી સરકાર દ્વારા નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઓકટોબર ર૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ ૭ નવેમ્બર ર૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે.

રાજય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કચેરીઓ આગામી ૯ નવેમ્બરે કાર્યરત રહેશે અને ૩૦ ઓકટોબરે રજા પાળશે. જેથી દિવાળી બાદના એક દિવસ પણ કર્મચારીઓને ભાઇ-બીજની પણ રજા મળશે.

(11:47 am IST)