Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગુજરાત : સ્વાઇન ફ્લુના વધુ ૩૭ કેસ સપાટી ઉપર આવ્યા

અમદાવાદમાં નવા ૨૩ કેસ નોંધાતા ખળભળાટઃ ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૧૧ થઇ : ૩૨૭ હજુ પણ સારવાર હેઠળ છે : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૫: સ્વાઈન ફ્લુના કારણે ભારે હાહાકાર મચેલો છે. દરરોજ નવા નવા કિસ્સા સપાટી ઉપર આવી રહ્યા છે. આજે કુલ ૩૭ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૧૧ સુધી પહોંચી હતી. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૨૩ કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે બનાસકાંઠામાં બે કેસ નોંધાયા હતા. બીજી બાજુ હજુ પણ સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત ૩૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં પહેલી સપ્ટેમ્બર બાદથી સ્વાઈન ફ્લુથી ૧૫ના મોત થઇ ચુક્યા છે.  પહેલી સપ્ટેમ્બર બાદથી અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૬૦૭ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો સપ્ટેમ્બર બાદથી ૧૬ ઉપર પહોંચી ચુક્યો છે.  અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સ્વાઇન ફ્લુના કારણે આજે કોઇ મોત થયાના અહેવાલ મળ્યા નથી પરંતુ ૩૭ નવા કેસ નોંધાઈ ચુક્યા છે.  સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો પહેલી સપ્ટેમ્બર બાદથી ૩૮ ઉપર પહોંચ્યો છે.  આની સાથે જ મોટી સંખ્યામાં નવા કેસ પણ નોંધાયા છે. ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લુના નવા ૩૭ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસોની સંખ્યા વધીને ૧૪૧૧ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના નવા ૨૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે આતંક અકબંધ રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં એક પછી એક નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. મોનસુનની સિઝનની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે અને ધીમીગતિએ ઠંડીની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી સ્વાઈન ફ્લુગ્રસ્ત દર્દીઓના મોતનો આંકડો ૩૮ પર પહોંચી ચુક્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ મામલા નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૮ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૫ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૪૧૧થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોધાય તેવી શક્યતા છે. સ્વાઈન ફ્લુના લીધે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. હજુ પણ ૩૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:54 pm IST)