Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

એનસીપી ગુજરાતમાં ગઠબંધન કરીને લોકસભાની ત્રણ બેઠક લડશે :જયંત બોસ્કી

એનસીપી મહેસાણા,પોરબંદર અને દમણ બેઠક પરથી ચૂંટણી લડશે :પરપ્રાંતીયો પર હુમલા માટે ભાજપ જવાબદાર

અમદાવાદ :લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં એનસીપીએ ત્રણ બેઠક લડવાની જાહેરાત કરી દીધી છે એનસીપી નેતા જયંત બોસકીએજાહેરાત કરી કે, એનસીપી ત્રણ બેઠક પર ગઠબંધન કરી લોકસભાની ચૂંટણી લડશે. જયંત બોસ્કીએ કહ્યું હતું કે એનસીપી મહેસાણા, પોરબંદર અને દમણ બેઠક પરથી ચૂંટણી લડશે.

 આ ઉપરાંત જયંત બોસકીએ રાજ્યમાં પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલા મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા.જયંત બોસકીએ જણાવ્યુ હતુ કે,રાજ્યમાં પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલા મામલે કોંગ્રેસ નહીં પણ ભાજપ જવાબદાર છે. ભાજપ સરકાર લોકોને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.

(6:09 pm IST)