Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમદાવાદ મનપામાં વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારોના દેખાવો પડતર માંગણીઓને લઈને સુત્રોચાર :કમિશનરને આપ્યું આવેદનપત્ર

 

અમદાવાદ :મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાલ્મિકી સમાજ અને  સફાઈ કર્મચારીએ દેખાવ કર્યા હતા. સફાઇકર્મીઓએ પોતાની પડતર માગણીઓને લઈને સુત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં કમિશનરને  આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

થોડા સમય પહેલા નોકર મંડળના સફાઇકર્મીઓએ હળતાલ પાડી હતી અને સમાધાન થતાં હળતાલ સમેટાઈ હતી. તો હવે નોકરમંડળના અન્ય કેટલાક કર્મીઓ ફરી હળતાલ પાડવાના મૂડમાં છે. પરંતુ તેમને નોકરમંડળ દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.

(10:11 pm IST)