Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

૨૦૨૨ સુધીમાં પીવાના પાણીના નવા ૧૭ લાખ જોડાણ અપાશેઃ વિજયભાઈ

પીવાના પાણીની સમસ્યાનો અંત લાવવા સરકાર કટીબદ્ધ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૬ :. આજે ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પીવાના પાણીને લઈને આદિવાસી વિસ્તારમાં સ્વ જલધારા અને સેકટર રિફોર્મ યોજના અંતર્ગત ગૃહમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વરસાદી પાણી આધારીત થઈ ચૂકયુ છે.

૯ હજાર ગામોમાં ચાર કરોડ લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે છે. ૨૦૨૨ સુધીમં ૧૭ લાખ પીવાના પાણીના જોડાણો આપવામાં આવનાર છે. આમ પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે.

(2:49 pm IST)