Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ 21મીથી બે દિવસ ગુજરાતમાં :રાજકીય સ્થિતિની કરશે સમીક્ષા

ગાંધીનગરમાં ફોરેન્સિક યુનિવર્સિટી અને પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત :રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરે એવી શક્યતા

 

અમદાવાદ ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આગામી 21 અને 22 જુલાઈએ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે  પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર નજીક આવેલી ફોરેન્સિક યુનિવર્સિટી અને પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરે એવી શક્યતા છે વડાપ્રધાન  ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ અંગે બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરશે.

   ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અનેક સભાઓ કર્યા બાદ પીએમ મોદી નવી રૂપાણી સરકારના શપથવિધિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં તૈયારીઓના ભાગરૂપે મુલાકાતે આવી રહ્યા છે

  મુલાકાત દરમિયાન તેઓ બીજેપીના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે પણ લોકસભા ચૂંટણી ઉપરાંત ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.

(12:20 am IST)