Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

વડોદરામાં ગેસ ગળતર થતાં ૪ કર્મીના મોત થયા

ગૂંગળામણના કારણે મોત નિપજ્યા

વડોદરા, તા.૨ : વડોદરામાં ગ્લોબલ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા કામદારોના ગુંગળામણના કારણે મોત થયા હતા. ગંભીર અસર થયા બાદ કામદારોને નજીકની જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમને બચાવી શકાયા ન હતા. ગેસ ગળતરની આ ઘટનાથી વડોદરામાં સનસનાટી મચી ગઈ હતી. પાદરાની ગ્લોબલ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરમાં મૃત્યુ પામેલા કામદારોની ઓળખ મોડે સુધી થઇ શકી ન હતી.

(9:03 pm IST)