Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઐશ્વર્યા રાય બચ્ચને દિવંગત પિતા કૃષ્ણરાજ રાયનો જન્મ દિવસ અલગ રીતે ઉજવ્યો

નવી દિલ્હી : માતા-પિતાનો ઋણ બાળકો કયારેય નથી ફેડી શકતા પણ કયારેય તેમના માટે કંઇ કરવાની તક મળે તો એ છોડવી ન જોઇએ. બોલીવુડ એકસ્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પણ હાલમાં આવું જ મહત્વનું કામ કર્યુ. તેણે પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયના જન્મ દિવસે યાદગાર બનાવવા એવું પગલું ભર્યુ કે જેને જાણીને દરેક દિકરી ગર્વ અનુભવશે. ઐશ્વર્યાએ પોતાના પિતાની જયંતીના દિવસે એવા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો જેના માટે હસવાનું કામ તબીબી કારણોસર મુશ્કેલ છે. ઐશ્વર્યાએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પિતાનો જન્મ દિવસ સ્માઇલ ફાઉન્ડેશન ખાતે સેલીબ્રેટ કર્યો. આ સંસ્થા કપાયેલા હોઠ અને તાળવાવાળા બાળકો સાથે ઉજવીને એ પ્રયાસ કર્યો કે, જેના માટે હસવાનું કામ તબીબી કારણોસર મુશ્કેલ છે. ઐશ્વર્યાએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પિતાનો જન્મ દિવસ સ્માઇલ ફાઉન્ડેશન સાથે સેલિબ્રેટ કર્યો. આ સંસ્થા કપાયેલા હોઠ અને તાળવાવાળા બાળકોની સર્જરી અને ઇલાજના કરાવવાના ફિલ્ડમાં સક્રિય છે.

આ પ્રસંગે ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીર પણ શેયર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'અમારા સ્માઇલવાળો દિવસ' ઐશ્વર્યા આ દિવસને પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે યાદગાર બનવવાના પ્રયાસમાં લાગેલ છે. તેણે પોતાના માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા સાથેની તસ્વીર શેયર કરી.

(6:30 pm IST)