Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2024

વડીયા તાલુકા ભાજપના ઉપાધ્‍યક્ષ અશ્‍વિન મહેતાનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ૧૩: સૌરાષ્‍ટ્ર, કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના અગ્રણી અને વડિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશ્‍વિન પી. મહેતાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૬૦ માં ર્વામાં પ્રવેશ કરી રહ્યા છે. જન્‍મ ભૂમિ વડિયા દેવળીને જ કર્મભૂમિ બનાવી વીમા એજન્‍ટ તરીકેની સફળ કારકિર્દી બનાવી ગ્રેજયુએશન બાદ રાષ્‍ટ્રના રંગે રંગાઇ આ.રએસ.એસ. તેમજ ભાજપના સક્રિય કાર્યકર તરીકે વર્ષોથી તેઓ જોડાયેલા છે. તેઓને વડિયા તાલુકા ભાજપના ઉપાધ્‍યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. એન.સી.સી. અને હોમગાર્ડઝ દળમાં પણ તેઓનું પ્રદર્શન રહ્યું છે. સાથે જ ફૂટબોલ તેમજ બાસ્‍કેટ બોલમાં પણ તેઓ રાજય કક્ષાએ પસંદગી પામી ચૂકયા છે. હાલ તેઓ વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ અને અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજની વિવિધ પ્રવૃત્તિમાં સક્રિય છે.

વડિયા સેવારામ બાપુ સન્‍યાસ આશ્રમ કમિટીના પ્રમુખ, વડિયા તાલુકા વિશ્‍વ હિન્‍દુ પરિષદના સંગઠન મંત્રી, વડિયા વેપારી મંડળના ઉપપ્રમુખ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળની પ્રવૃતિઓની જવાબદારી સંભાળી રહ્યા છે. મો. નંબરઃ ૯૮૭૯૦ પ૪૯૯૧

(2:34 pm IST)