Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ સાથે પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઃ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન

૪૫૦થી વધારે હરિભકતો જોડાયાઃ નગરપાલિકા દ્વારા અભિયાનમાં સહયોગ

ગોંડલ તા. ૧૮ :બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્ત્।મ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા સમયે સમયે વિવિધ સામાજિક કાર્યોનું આયોજન થતું રહે છે. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વર્ષ ૨૦૧૬ થી જ વિશેષ સામાજિક કાર્યોની ભાગીરથી વહાવવામાં આવી હતી. જેમાંની એક પ્રવૃત્ત્િ। હતી સ્વચ્છતા અભિયાન. છેલ્લા બે વર્ષથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનને વધાવતા અક્ષર મંદિર દ્વારા ગોકુળિયા ગોંડલને રમણીય બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં શહેરના રાજકીય આગેવાનો, અગ્રણીશ્રીઓ તથા મહાનુભાવોનો પણ સાથ અને સહયોગ પ્રાપ્ત થયો હતો.

ગોંડલ શહેરની અંદર ચાલતા ૧૨ જેટલા મંડળોના ૪૫૦ થી વધારે હરિભકતો સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા.આ સ્વયંસેવકોના ૪ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને ગોંડલના અનેક વિસ્તારો જેવા કે ભગવતપરામાં આવેલી સરકારી હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, યોગીનગર અને આશાપુરા રોડ જેવા વિવિધ વિસ્તારોની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બે વખત આ સ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં અક્ષર મંદિર તરફથી ચાર ટ્રેકટર્સ તથા ચાર યુટિલિટી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોંડલ નગરપાલિકા તરફથી પણ આ સમગ્ર અભિયાનમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. અક્ષર મંદિરનાં કોઠારીશ્રી સહિત સંત-ભકતો પણ આ સેવામાં જોડાયા હતા અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અતિ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરનાર સંતો સ્વયં સેવામાં જોડાવાની સાથે સાથે લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા આપતા હતા. આ સંતોથી પ્રેરાઇ ગોંડલ શહેરનાં નામાંકિત ડોકટર્સ ઙ્ગતથા ઉઘોગપતિઓ પણ પોતાના ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠાની પરવા કર્યા વિના હાથમાં સાવરણી લઈ આ અભિયાનમાં જોડાયા હતા. ઘરની અંદર સ્વચ્છતાની સંપૂર્ણ જવાબદારી નિભાવનાર બહેનોએ પણ પોતાના ગૃહકાર્યને ગૌણ કરી હોંશે હોંશે આ સેવાકાર્યની અંદર મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સ્વયંસેવકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી માસ્ક તેમજ ગ્લોવ્ઝ પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાનથી ગોંડલના નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ શહેર તથા પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે કટિબદ્ઘ થયા હતા.

સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો તેમજ ૬૨૭ જેટલા હરિભકતોએ રકતદાન કર્યું હતું જેમાં આ સમગ્ર અભિયાનમાં ૨,૧૯,૪૫૦ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. જે જરૂરિયાત મંદ લોકોને પહોચાડ્યું હતું. મહોત્સવના દિવસો તા. ૨૦ થી તા. ૩૦ઙ્ગ દરમ્યાન પણ રકતદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

પર્યાવરણના જતન અને જાગૃતિ માટે અક્ષર મંદિર દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઝુંબેશમાં ૧૭,૦૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ૪૦૦ જેટલાં લીમડાના છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિવિધ સમાજલક્ષી અને પર્યાવરણલક્ષી પ્રવૃત્ત્િ। સમગ્ર અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનું સંભારણું બની રહેશે.

જળ સંગ્રહ અભિયાનમાં વેરી તળાવમાંથી કાંપયુકત માટી દૂર કરીને વેરી તળાવની ક્ષમતા વધરવાની કામગીરી અક્ષરમંદિર દ્વારા હાથ ધરાઈ. જેમાં ૧૩૦૦૦ ટ્રેકટર અને ૪૫૦૦ મોટા ડમ્પરઙ્ગ દ્વારા ઙ્ગકાંપ દૂર કરાયો.  અંદાજે ૨૭ કરોડ ૯૫ લાખ ૬૪ હજાર લીટર પાણી વધારે સમાવી શકાશે.  અક્ષર મંદિર પાછળ આવેલી ગોંડલી નદીનું ઊંડાણ વધાર્યું હતું.  વેલ, કાદવ, પથ્થર તથા માટી કાઢી અંદાજે પાંચેક ફુટ ઊંડાઈ વધારી જળ ક્ષમતા વૃદ્ઘિ અને જળ શુદ્ઘિ કરી હતી. અહી ૭૦૦૦ કમ્પર માટી કાંપ બહાર કાઢી નદી સફાય અભિયાન હાથ ધરાયું હતું. આ સફાઈમાં હરિભકતો જોડાયા હતા.

(11:22 am IST)