Gujarati News

Gujarati News

રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપનો બહિષ્‍કાર : પાંચ લાખ રાજપૂતોનો રણટંકાર: રાજકોટ મોરબી રોડ પર રતનપર રામ મંદિર ખાતે યોજાયેલા સયંમ, સંસ્‍કારો અને ખુમારી પ્રદર્શિત કરતા ક્ષત્રિય મહા સંમેલનમાં ઊઠેલો શાંતિપૂર્ણ વિરોધઃ રાજકોટ લોકસભા બેઠક ઉપર ૪૦૦ ફોર્મ ભરી બેલેટ પેપરથી ચુંટણી કરાવવાનો વ્‍યુહઃ જો માંગણી નહીં સ્‍વીકારાય તો લડત પાર્ટ ટુ : બ્‍લેક પેન્‍ટ, સફેદ શર્ટમાં સજ્જ લાખ્‍ખો રાજપુતો અને કેશરી સાડીમાં સજ્જ હજારો ક્ષત્રાણીઓએ રતનપર રામમંદીર પાસેના મહાસંમેલન સ્‍થળે બલીદાન અને શૌર્ય ગાથાનો ભવ્‍ય ભૂતકાળ તાદ્રશ્‍ય કર્યો : ક્ષત્રીયાણીઓ સાથે અયોગ્‍ય વર્તન થયું તો જોવા જેવી થશે : ક્ષત્રીય સમાજ સંકેલન સમીતીના ગુજરાતના મહિલા અધ્‍યક્ષ તૃપ્તીબા રાઓલે ઉપરોકત વાત જણાવતા કહયું કે આજે રાજ નથી પણ ન્‍યાય માટે લડવું એ આપણો અબાધિત હક્ક છે, પૈસો કયાં ઉડાડવો અને કયાં નહિ ? તે હવે નક્કી કરજો : સરહદો જીતવા જેમ રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરી અશ્વ છુટ્ટો મુકતા ત્‍યારે બે જ વાત રહેતી કાં શરણાગતી , કાં લડાઇ... : આવો જ એક ઘોડો સુરેન્‍દ્રનગરથી દોડી જામનગર, ભાવનગર, ધંધુકા, પાટણ, હિંમતનગર, ભરૂચ થઇ રાજકોટ પહોંચ્‍યો છે જો રૂપાલાની ટીકીટ રદ નહી થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે : કરણસિંહ ચાવડા : ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી નૈતિકતાનું અધઃપતન થઇ રહયું છે, તેની જવાબદારી આપણે લેવી જ પડશે અને એ ઉદ્રેશ્‍ય માટે જ આજે આ સંમેલન યોજાયું છેઃ સંકલન સમીતીના રમજુભા જાડેજા : ૭પ વર્ષોમાં રાજપુત સમાજની મોટી મોટી સંસ્‍થાઓ જે કરી ન શકી તે કામ રૂપાલાએ એક શબ્‍દમાં કરી દેખાડયું: એક ટીપ્‍પણીથી લાખો રાજપુતોને ભેગા કરી દીધા : રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપના એક પણ કાર્યક્રમમાં જશો નહિ મહિપાલસિંહ મકરાણાએ લેવડાવ્‍યા શપથ : દિકરીઓના સ્‍વમાન માટે હવે જવાબ આપવામાં આવશે, જે નેતાઓ મત માંગવા આવે તેનો ઇલાજ કર્યા વગર જવા દેતા નહિ : ભાજપુતો ડરે છે ભલે એ ગુલામી કરેઃ મધ્‍યપ્રદેશ કરણી સેનાના જીવણસિંહ શેરપૂરે access_time 3:07 pm IST