Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કાલાવડ રોડ પર ટ્રાફિક જામની સમસ્‍યા ઉકેલવા સત્‍ય સાંઇ રોડ અને અમીન માર્ગનાં જંકશને બંધ કરાયા

રાજકોટઃ શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા તંત્ર દ્વાર ઓવર-અંડર બ્રિજ તથા સર્કલો નાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૌરવપથ કાલાવડ રોડને અધવચ્‍ચેથી સત્‍યસાંઇ રોડને જોડતા જંકશનને બંધ કરી અને અહીંસર્જાતી ટ્રાફિક જામની સમસ્‍યા દુર કરવા પ્રાયોગીક ધોરણે આ જંકશનને કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયો છે. જેથી હવે સત્‍યસાંઇ રોડ જવા માટે કાલાવડ રોડથી આવતા વાહન ચાલકોને આગળ તરફ આવેલ પેટ્રોલ પંપ વાળા જંકશન સુધીનો ફેરો કરવો  પડશે. આ જ પ્રકાર ગૌરવપથ કાલાવડ રોડને અધવચ્‍ચેથી સ્‍વામી નારાયણ મંદિર સામે અમીન માર્ગને જોડતા જંકશનને બંધ કરી અને અહીં સર્જાતી ટ્રાફિક જામની સમસ્‍યા દુર કરવા પ્રાયોગીક ધોરણે આ જંકશનને કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયો છે. જેથી હવ ેઅમીન માર્ગ  રોડ જવા માટે કાલાવડ રોડથી આવતા વાહન ચાલકોને આગળ તરફ આવેલ અંડર બ્રિજ સુધીનો ફેરો કરવો  પડશે. 

(4:01 pm IST)