Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ગાર્ડી કોલેજ દ્વારા નિદાન કેમ્‍પ સંપન્‍ન

ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત ગાર્ડી આયુર્વેદ કોલેજ આણંદપર તથા રહેવર સ્‍કૂલના સંયુકત ઉપક્રમે આયુર્વેદ નિદાન કેમ્‍પ યોજાઇ ગયો. દિપ પ્રાગટય ડી. વી. મહેતા, રાજાણીભાઇ, રાણાભાઇ ગોજીયા, વિનોદભાઇ લોખિલ, રમેશસિંહ તલાટીયા, જયેશભાઇ સોરઠીયા, ભરભાઇ હજારે, અર્જુન ચાવડાના હસ્‍તે થયેલ, જય મહેતા તથા દિનેશભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ ૧પ ડોકટરોની ટીમે સેવા આપેલ. પ૦૦ દર્દીઓએ લાભ લીધો. અનિરૂધ્‍ધસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા, કે. પી. જાડેજા, પૃથ્‍વીસિંહ જાડેજા, જયપાલસિંહ રાઠોડ, દેવેન્‍દ્રસિંહ ભાટી, સંજયસિંહ વાઘેલા, સવજીભાઇ મૈયડ, જનકલ્‍યાણ ટ્રસ્‍ટ, મહેન્‍દ્રભાઇ જલુ, કિરીટભાઇ મૈયડ, શ્રીદત્તા, વિજયસિંહ જાડેજા, દામજીભાઇ અઘેરા, પ્રદ્યુમનસિંહ ઝાલા, આનંદ સિંધવ, મહેશભાઇ રાઠોડ, સોનલબેન વાછાણી, નરેન્‍દ્રસિંહ ભોડલીયા, નિખિલ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે ઉપસ્‍થિતિઓ નરેન્‍દરભાઇ સોરઠીયાનું સિકકા પ્રદર્શન નિહાળેલ તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(2:58 pm IST)