Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટ રેલવે ડીવીઝન પર ભારત રત્‍ન ડો. બી.આર. આંબેકડરની ૧૩૩ મી જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

રાજકોટ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ભારત રત્‍ન ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્‍મજયંતિની ઉજવણી રાજકોટ ખાતે આવેલ ઓફિસર્સ ક્‍લબ માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્‍યક્ષતા રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબેએ કરી હતી. એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ચૌબેએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્‍પહાર કરીને અને દીપ પ્રગટાવીને તેમના ગુણોને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા શ્રી ચૌબેએ ભારતીય બંધારણના નિર્માતા ડૉ. આંબેડકરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બંધારણ ઘડવામાં તેમના અનન્‍ય યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે સીનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી મનીષ મહેતા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ટ્રેડ યૂનિયન, એસસી/એસટી અને ઓબીસી એસોસિએશન ના પદાધિકારી તેમજ મોટી સંખ્‍યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને બાબા સાહેબ ના વિચારોનું મંથન કર્યું હતું.

(2:22 pm IST)