Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી રોડ અને ભગવતીપરા રોડને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત

મહાનગરપાલિકા દ્વારાᅠવોર્ડ નં. ૪માં વેલનાથપરાની બાજુમાં આવેલ ટી.પી.રોડ વોકળા પર મોરબી રોડ અને ભગવતીપરા રોડને જોડતા બ્રિજનું રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે ખાતમુર્હુત ગુજરાત રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગેᅠવોર્ડ નં.૪ કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા,ᅠકાળુભાઈ કુગસીયા,ᅠપ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ડંડેયા, મયુરભાઈ ભમર, દિવ્‍યેશભાઈ રામાણી, રવિભાઈ રાજગોર, હિતેશભાઈ મઠીયા, વિઠ્ઠલભાઈ ઢાકેચા, મનીષાબેન સેરસીયા, રાણાભાઈ ભરવાડ, જનકભાઈ કુગસીયા તેમજ સ્‍થાનિક આગેવાનો લખમણભાઈ સીયરિયા, વલ્લભભાઈ ઉતેડીયા, વિજયભાઈ ગોહિલ, મંજુબેન સોલંકી, સામબેન જંજવાડીયા, પાર્વતીબેન ડાભી, વિજુબેન ગુજરાતી, મયુરભાઈ પેથાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:01 pm IST)