Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ધોળકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

      આજરોજ ધોળકા તાલુકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો. શાળાના દરેક બાળકોને પ્રતિકાત્મક ભેટ આપવામાં આવી તથા શાળા પરિવાર તરફથી બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું. ધોરણ-8 ના બાળકોને વિશેષ કીટ અર્પણ કરવામાં આવી
            આ કાર્યક્રમમાં બી.આર.સી વિક્રમસિંહ પરમાર તથા સી.આર.સી કનકસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી . શાળાના આચાર્ય શ્રી સુખદેવસિંહ વાઘેલાએ બાળકોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

(7:34 pm IST)