Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'નામકરણ'માં હવે સોની સિંહ બનશે ખલનાયિકા

મુંબઈ: ટેલિવિઝન ધારાવાહિક 'નામકરણ'માં સકારાત્મક ભૂમિકામાં પ્રવેશ કરનાર અભિનેત્રી સોની સિંહ હવે ખલનાયકની ભૂમિકામાં નજરે પડશે.

સોનીએ કહ્યું કે 'નામકરણમાં સુનહરી નામક પાત્ર ભજવી રહી છું,જે મજાકિયા પાત્ર છે. જેને ડાન્સ કરવો ગમે છે. જે હમેશા બોલીવુડની નાયિકા સાથે પોતાની તુલના કરતી રહે છે. પહેલા આ પાત્ર સકારાત્મક હતું પણ હવે આ પાત્ર એક ખલનાયિકા તરીકે હું ભજવવાની છું. 'નામકરણ'નું પ્રસારણ ટેલિવિઝન ચેનલ સ્ટાર પલ્સ પર થાય છે.

(5:22 pm IST)