-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
શાર્દુલ ઠાકુર ફિટઃ કાલથી શરૂ થતા ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટમાં સમાવેશની શકયતા
નવી દિલ્હી, તા. ર૪: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર કાલે બુધવારથી ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રમવા માટે હવે એકદમ ફિટ છે. શાર્દુલ એક સારો ઓલરાઉન્ડર છે અને તે બોલ સાથે કમાલ દેખાડવાની સાથે સાથે બેટથી પણ કારગર સાબિત થઈ શકે છે. આવામાં કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમમાં સામેલ કરવા અંગે વિચારતો હશે.
ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ વર્ચ્યુઅલ મીડિયા સંવાદમાં કહ્યું કે શાર્દુલ ફિટ છે અને સિલેકશન માટે તૈયાર છે. હવે અમારે બસ એ જોવાનું રહેશે કે અમે કયા સંયોજન સાથે ઉતરીશું. ભારતીય મધ્ય ક્રમના બેટ્સમેને રોટેશન નીતિની શક્યતા ફગાવતા કહ્યું કે તમામ બોલર્સને બીજી ટેસ્ટ ખતમ થયા બાદ સારો એવો બ્રેક મળ્યો છે. મેચ ૧૬ ઓગસ્ટે પૂરી થઈ હતી. શાર્દુલ મહિનાની શરૂઆતમાં ટ્રેન્ટ બ્રિજમાં પહેલી મેચમાં રમ્યો હતો, ત્યારે તેને ઈજા થઈ હતી. ઈજા બાદ તે બીજી ટેસ્ટમાંથી બહાર થયો હતો.