Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ટી-૨૦માં વિરાટ-રોહીતને જ ઓપનીંગ કરાવોઃ ગાવસ્કર

બેસ્ટ બેટસમેનોએ શકય એટલી વધારે રમત રમવી જોઇએ

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક મેચમાં રોહિત-વિરાટે ટીમ માટે કરેલા ઓપનિંગને ઘણા ક્રિકેટ પ્રેમીઓએ વખાણી હતી. ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરે તો આ બંને ખેલાડીઓ પાસેથી જ ઓપનિંગ કરાવવાની સલાહ આપી છે. ગાવસકરે કહ્યું કે   'લિમિટેડ ઓવરની મેચમાં ટીમના બેસ્ટ બેટ્સમેને વધારે ઓવર રમવી જોઈએ. એ જોતાં વિરાટ માટે એ ઘણું મહત્ત્વનું છે કે તે ટોપ ઓર્ડરમાં સારી બેટિંગ કરે.

 કદાચ, લોકેશ રાહુલે ટચ ગુમાવ્યો હશે, પણ એ ટીમ માટે ફાયદાકારક રહ્યું, કેમ કે ટીમને નવી ઓપનિંગ જોડીનો વિકલ્ય મળ્યો. સચિન તેન્ડુલકરનું પણ એક સમયે એમ જ હતું. તે પહેલાં નીચલા કમે બેટિંગ કરતો હતો, પણ સમય જતાં જ્યારે તેણે ટીમ માટે ઈનિંગ્સ ઓપન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેને અને ટીમને ઘણો ફાયદો થયો હતો. માટે મારું કહેવું છે કે બેસ્ટ બેટ્સમેનને શક્ય એટલી વધારે ઓવર રમવા મળવી જોઈએ જેથી ટીમની સ્થિતિ મેચમાં મજબૂત બની શકે. હું આ ઓપનિંગની ફોર્મ્યુલાને  ટેકો આપું છું. તેઓ એકબીજાને સારા એવા પુરક છે. તેમના સારા પ્રદર્શનને લીધે નીચલા નંબરના બેટસમેન પર પ્રેશર ઓછુ રહે છે.

(2:42 pm IST)