Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડી થશે પસંદ

નવી દિલ્હી: વિદેશી પ્રવાસ પર શાનદાર પર્ફોમન્સ કોઈ ક્રિકેટરની આગામી અગ્નિપરીક્ષા હોય છે. સ્થાનિક મેદાન પર સારુ પ્રદર્શન મહત્વપૂર્ણ હોય તો છે પરંતુ ખેલાડી ટેંપારમેંટ અને સ્કિલની યોગ્ય પરીક્ષા વિદેશી પિચો પર થાય છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવીડ, કુમાર સંગાકારા, ઝહિર ખાન અને મુથૈયા મુરલીધરન વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને મહાન ખેલાડીઓની શ્રેણીમાં સામેલ થયા છે. 
ખેલાડીઓ પરથી પ્રેરણા લઈને ઘણા બધા ક્રિકેટર વિદેશી પિચો પર સારુ પ્રદર્શન કરવાના લક્ષ્યને લઈને આગળ વધે છે. ત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડી એવા છે જે પોતાના પ્રશંસકો અને રાષ્ટ્રીય પસંદગીકર્તાની નજરમાં બની રહેવા માટે સારુ પ્રદર્શન કરવા માંગશે. જેમાં આઈપીએલ ૨૦૧૮ની સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમનાર ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલ છે. પંજાબના યુવા ઝડપી બોલરે પોતાની ઝડપી અને બોલિંગથી તમામનુ ધ્યાન ખેંચ્યુ છે. તેણે વખતે ૧૭ મેચોમાં ૨૧ વિકેટ ઝડપી અને તેની ઈકોનોમી૮.૨૮ની રહી હતી. ઉપરાંત સિનીયર ખેલાડી દિનેશ કાર્તિક પણ પસંદગીકર્તાઓની નજરમાં રહેશે. તેણે પોતાના કરીયરમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તેનુ પ્રદર્શન સુધરતા તેને ફરી એકવાર ટીમમાં જગ્યા મળી છે. 

(5:00 pm IST)