Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અન્ડર-૧૯ વર્લ્ડકપઃ ભારતે આર્યલેન્ડને પછાડયું: કવાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત

ભારત ૩૦૭/૫, આર્યલેન્ડ ૧૩૩ રનમાં ઓલઆઉટ : યશ ધૂલના સ્થાને નિશાંત સિંધુએ કેપ્ટનશીપ સંભાળી

નવીદિલ્હીઃ અંડર ૧૯ વર્લ્ડ કપમાં ભારત નું વિજેતા અભિયાન ચાલી રહ્યું છે.  આયર્લેન્ડને હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે કવાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત બની ગયું છે. ભારત આયર્લેન્ડ સામે તેના નિયમિત કેપ્ટન  યશ ધુલ વિના રમ્યું હતું.   બીજી મેચમાં યશ ધૂલની જગ્યાએ ભારતની કેપ્ટનશીપ નિશાંત સિંધુએ સંભાળી હતી.

 આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૭ રન બનાવ્યા હતા.  જવાબમાં ૩૦૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ માત્ર ૧૩૩ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.  અને મેચ ૧૭૪ રનથી હારી ગઈ હતી.  ભારતે મેચમાં ૮ બોલરોને અજમાવ્યા હતા, જેમાંથી તેઓ ૬ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. હરનૂર સિંહ ૮૮ રન બનાવ્યા હતા. બંને વચ્ચે શરૂઆતી વિકેટ માટે ૧૬૪ રનની ભાગીદારી થઈ હતી.

(2:44 pm IST)