Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બ્રોડકાસ્ટરને પસંદ નથી વિરાટ કોહલીનો આરામ:જાહેરાતની આવક પર અસર પડે છે

મુંબઈ :શનિવારે દુબઈમાં એશિયા કપની શરૂઆત થઈ ચુકી  છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ટૂર દરમિયાન પીઠમાં તકલીફ અનુભવી રહ્યો હતો. એટલા માટે તેને 15 દિવસ ચાલનારી ટૂર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટને આરામ આપવામાં આવ્યો છે પરંતુ એશિયા કપના સ્ટેકહોલ્ડર્સ અને બ્રોડકાસ્ટર વાતથી ખુશ નથી. કારણ કે વિરાટ હોવાને કારણે તેમની જાહેરાતની આવક પર અસર પડે છે.

(10:35 pm IST)