Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વિજય હજારે ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્વર-જાડેજાનો સમાવેશ

નવી દિલ્હી: ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાનો આગામી વિજય હજારે ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં સમાવેશ કરાયો છે. વિજય હજારે ટ્રોફી નવી દિલ્હી ખાતે યોજાશે જેમાં ગત વખતની રનર અપ સૌરાષ્ટ્રની ટીમ પોતાની પ્રથમ મેચ ઉત્તર પ્રદેશ સામે ૧૯મી સપ્ટેમ્બરે રમશે.સૌરાષ્ટ્રની ટીમ આ ટૂર્નામેન્ટમાં આઠ મેચ રમશે. જોકે, પૂજારા અને જાડેજા ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓ છે. જો તેઓને વેસ્ટ ઇન્ડીઝ સામે શરૃ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સમાવેશ થાય તો ૩૦મી ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી પાંચમી મેચ અને તે પછીની મેચ ગુમાવી શકે છે. જોકે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા ટીમનો કેપ્ટન જાહેર કરાયો નથી.ટીમ: જયદેવ શાહ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, રોબિન ઉથપ્પા, શેલ્ડન જેક્સન, જયદેવ ઉનડકટ, સમર્થ વ્યાસ, અર્િપત વસાવડા, અવિ બારોટ, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્ર જાડેજા, કમલેશ મકવાણા, યુવરાજ ચૂડાસમા, સૌર્ય સાણંદિયા, અગ્નિવેશ અને ર્હાિદક રાઠોડ.

(5:43 pm IST)