Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

લોકોનું જીવન બચાવવા આપણે ઘરમાં જ રહેવાનું છે, કોરોના સામે જંગ હજુ ઘણો બાકી છે

જાડેજાની વિડીયો કેપ્‍શન

નવી દિલ્‍હીઃ ઇન્‍ડિયન ક્રિકેટ ટીમને મુસીબતના સમયે મદદ કરનાર ઓલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજાનું કહેવું છે કે કોરોના સામેની આપણી લડાઈ હજી બાકી છે. દેશમાં અત્‍યાર સુધી કુલ ૮૧,૦૦૦થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્‍યા છે. આ આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. આથી લોકોને દ્યરમાં રહેવાની અપીલ કરતાં ઇન્‍સ્‍ટાગ્રામ પર એક વિડિયો અપલોડ કરી જાડેજાએ કહ્યું કે ‘કોવિડ-૧૯ સામે લડવા હું મારા દ્યરે છું, તમે? '

 આ વિડિયોની કેપ્‍શનમાં જાડેજાએ લખ્‍યું છે, ‘કોવિડ-૧૯ સામેનો આ જંગ હજી બાકી છે. લોકોનાં જીવન બચાવવા માટે આપણે દ્યરે રહેવાનું છે.'

(2:25 pm IST)