Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

રોહિત શર્માને ઈજા થતાં ટીમ ઈન્ડિયામાં ચિંતા

ટીમ ૧૬મીએ દ.આફ્રિકા રવાના થશે

નવી દિલ્હી, તા.૧૩: ભારતીય ટીમ ૧૬ ડિસેમ્બરે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થવાની છે ત્યારે તે પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક ખબર સામે આવી છે.

મુંબઈમાં ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માને ઈજા થઈ છે.ટ્રેનિંગ સેશન દરમિયાન થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રાઘવેન્દ્રનો બોલ સીધો રોહિતના હાથ પર લાગ્યો હતો.

રોહિત શર્માને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ અપડેટ હજી સુધી આવ્યા નથી.આ જ પ્રકારની ઈજા અંજિક્ય રહાણેને પણ ૨૦૧૬માં થઈ હતી.જેમાં તેમની આંગળી પર ફ્રેક્ચર થયુ હતુ.

સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી શરુ થવાની છે.રોહિતની ઈજા જો વધારે ગંભીર નહીં હોય તો તે મેચ પહેલા ફિટ જશે અને જો પહેલી ટેસ્ટ રમી નહીં શકે તો તેમની જગ્યાએ મયંક અગ્રવાલ અને રાહુલ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે.

(7:48 pm IST)