Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

જામનગરના મોટા લખીયામાં દેવાણંદભાઈ આંબલીયાને ત્યાં શુભલગ્ન ચિ. આનંદ - ચિ. અંજુ * ચિ. નિરૂ - ચિ. દિલીપ

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા લખીયા (વાડી વિસ્તાર)ના શ્રી દેવાણંદભાઈ આલાભાઈ આંબલીયા અને અ. સૌ. પુરીબેનના સુપુત્ર ચિ. આનંદના શુભલગ્ન રીંજપર નિવાસી અ. સૌ. વાલીબેન અને શ્રી પાલાભાઈ અરશીભાઈ વસરાની સુપુત્રી ચિ. અંજુ સાથે તા.૩૧-૧-૧૯ના રોજ નિરધારેલ છે.

સુપુત્રી ચિ. નિરૂના શુભલગ્ન રીંજપર નિવાસી અ. સૌ. વાલીબેન અને શ્રી પાલાભાઈ અરશીભાઈ વસરાના સુપુત્ર ચિ.દિલીપ સાથે તા.૧-૨-૧૯ના રોજ નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.૩૦ને બુધવારે સવારે ૮:૩૦ વાગ્યે મંડપ રોપણ, રાત્રે ૯ વાગ્યે દાંડીયા રાસ, તા.૩૧ને ગુરૂવારે સવારે ૭ વાગ્યે ચિ. આનંદની જાન પ્રયાણ, સવારે ૧૦:૩૦ વાગ્યે, હસ્તમેળાપ, તા.૧-૨-૧૯ને શુક્રવારે સવારે ૮ વાગ્યે ચિ.નીરૂની જાન આગમન, સવારે ૯:૩૦ વાગ્યે હસ્તમેળાપ અને ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્યે તેમના નિવાસસ્થાન મોટા લખીયા, તા. લાલપુર, જી. જામનગર રાખેલ છે.

(11:34 am IST)