Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

જુનાગઢ ગીરનાર ક્ષેત્રના સાધુ સંતોઍ પરિક્રમા રૂટનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કયુ*

જુનાગઢ તા. ૩૧ : આગામી ગિરનાર પરિક્રમા સંદર્ભે આજરોજ ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતો સાથે અધિકારીઓમાં વન વિભાગ રેવન્યુ અને આરોગ્ય વિભાગના અધિકારીઓઍ સાધુ સંતો સાથે ગિરનારની ૩૬ ત્ત્ૃની પરિક્રમા રૂટનો જીણવટ ભર્યું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો કર્યા હતા. 
આ યાત્રામાં ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીબાપુ વતી તેમના પ્રતિનિધિ મા મંદિરના પૂજારીઓ અભિષેકભાઈ, ભાર્ગવભાઈ, મહામંડલેશ્વર  મહેન્દ્ર ગીરીબાપુ,   પુનિત આશ્રમના સેલજાદેવી, ભવનાથના કોર્પોરેટર ઍભાભાઇ કટારા વગેરે સાધુ સંતો સાથે વન વિભાગના અધિકારીઓ આ યાત્રામાં સાથે જોડાયા હતા અને સાધુ સંતોઍ યાત્રિકોની સુખાકારી માટેના સુચારું આયોજન અંગેની સમીક્ષા કરી અને સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

 

(1:58 pm IST)