Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

સંસ્‍કૃતિ અને પ્રકૃત્તિના સમન્‍વય સમી

ભક્‍તિનાં સંગે પ્રકળતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે કાર્તીકી અગીયારસની લીલી પરિક્રમા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩૧ : મારે તો આ જોઇશે જ-એ હઠ, આ મારી પાસે નથી-એ અભાવ, અને બધુ જ મારી પાસે હતુ પણ ચાલ્‍યું ગયુ - એ અફસોસ, આ ત્રિવિધ હાહાકારમાંથી મુક્‍ત થવાનો નવલો અવસર  એટલે જ ગિરીવર ગિરનારજીની પાવનકારી પરીક્રમા.                           
 ગ્રીક માઇથોલોજીમાં જે સ્‍થાન સૌદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્વ ર્યની અધિષ્ઠજત્રી દેવી પ્રકળતિનું છે. આજનાં શિક્ષીત બુધ્‍ધીવાદી એરકન્‍ડીશનમાં બેસીને સૌદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ જનતા પ્રકળતિનાં ખોળે ઉછરે છે, અને પ્રકળતિ સાથે જીવે છે,અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો ,ઉત્‍સ વોમાં પ્રકળતિને સંસ્‍કળકતિ સાથે જોડીને ઈશ્વમર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.
ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૌથી  ઉંચો પર્વત છે.જ્‍યાં ,કૈલાસ, શિખર સમેત અનેક દેવ, દેવીનાં ઉલ્લોખ સાથે સાંસ્‍કળાતીક અને ધાર્મિક અસ્‍મિાતાનાં બીજ જોડાયેલા છે. પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હંમેશા સાંભળતા આવ્‍યાર છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્‍યા ગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સૌ કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્‍છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્‍માઓ પોત-પોતાનાં સિધ્‍ધ આશ્રમ સાથે સંસ્‍કળતતિનાં રખોપા કરતા પ્રકળતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્‍યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકળષ્‍ણોનાં મંદિરોની ધ્‍વજા પરથી પસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્‍તિનાં સંગે અને પ્રકળતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.કારતક સુદી અગીયારસથી ત્રણ દિવસ માટે પરિક્રમા યોજાશે. જિલ્લાં વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને વિવીધ સુવિધા આપવા આયોજન કરાયેલ છે.
  જૂનાગઢ જિલ્લા્‌ને ગુજરાતનાં બીજા જિલ્લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્‍યો હશે. અહીં વિશાળ દરિયા કાંઠો, ગીર અને ગીરનારનાની વન્‍ય સળષ્ટી અને વિશ્વને ધ્‍યાન ખેંચે તેવા એશિયેટીક લાયન(સીંહ) અને જગમશહુર કેસર કેરી પર્યટકોને કાયમ આવકારે છે.                                                              
જિલ્લામાં અનેક નાના મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્‍યાજમાં ભાવીક ભક્‍તો લીલી વનરાજી વચ્‍ચેથી, પર્વત અને ખીણની વચ્‍ચેથી ભક્‍તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્‍યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી ,પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વળધ્‍ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરાવલીઓથી વનને વળંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા,જંગલ મધ્‍યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં. કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સૌનાં સથવારે સૌ સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકળતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.
લીલી પરીક્રમાનાં મેળામાં ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડ, માળવેલા, બોરદેવી જેવા વનરાણીનાં વળક્ષાચ્‍છાદિત આહલાદક વાતાવરણનાં ખોળે પરિક્રમાર્થી પડાવ નાખે ત્‍યા રે યાત્રીકોની સેવા સુશ્રુસા અર્થે ખોડીયાર રાસમંડળ, બાઢડા સેવામંડળ, સહિત ગામ પરગામથી સેવાની આહલેક સાથે આવેલી સેવાકીય સમુહ સંસ્‍થાડઓ યાત્રીકોને ભોજન, ચા-નાસ્‍તો સહિતની વિનામુલ્‍યેહ વ્‍યીવસ્‍થાથઓ ઉપલબ્‍ધ બનાવવા તૈયાર હોય છે. વન વિસ્‍તારના કપરા ચઢાણોમાં  યાત્રીકોને લીંબુ પાણી પાઇને સેવાનો સંતોષ માણનાર ગામડાનાં ગરીબ સેવકો પણ શ્રધ્‍ધાનાં દોર સાથે અનેરા નાતાથી સંસ્‍કા રીતાની સાંકળને જોડતા નજરે પડે છે.શ્રધ્‍ધાનાં ભાવ સાથે ગરવા ગિરનારનાં પરિક્રમાનાં પથ પર ખાડા-ટેકરા, નદી-નાળા અને ચઢાણવાળા ડુંગરની કપરી પગથારને પાર કરવા ગરીબ અમીર, અબાલ-વળધ્‍ધ, અશક્‍ત-સશક્‍ત સૌ કોઇને આ મેળો હમેંશા ફળદાયી બની રહે છે. ના કોઇ અગવડ કે ના કોઇ ડર છતા જૂનાગઢનાં ગામે ગામથી જેમકે પોરબંદર ઘેડ, નાઘેર, હાલાર, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્‍છક, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતો માંથી બધાજ વર્ગોના ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન-ગરીબનાં વાદ વગર સૌ કોઇ આવે છે.આવનાર યાત્રીકને આમેય કોઇ જ સુવિધાની જરૂરત પણ નહીં.
 આજે વખત વિતતો ચાલ્‍યો, જમાનાની અસર અને વાહન વ્‍યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં  રાજ્‍યભરમાંથી તો ઠીક પણ દેશ વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્‍યાર છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોથી સંખ્‍યા  લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને જિલ્લાજના વહીવટી તંત્ર તેમજ સ્‍થાાનિક સેવાભાવી સંસ્‍થાઓ એસટી.નિગમ, પોલીસ તંત્ર, મહાનગર પાલીકા જિલ્લાક પંચાયત આરોગ્‍યન અને આયુર્વેદ શાખા,માહિતી વિભાગ સહિત જૂદા જૂદા જિલ્લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇ જ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સૌને આત્‍મિયતાનાં ઓઝસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર ઓણસાલ સારા વરસાદથી કુદરત તરફની હૈયે હામ અને અફાટ શ્રધ્‍ધાનાં ભાવ સાથે નિખરશે.(આલેખન- અશ્વિન પટેલ,  જૂનાગઢ)
 

 

(1:31 pm IST)